મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ


SHARE











મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સર્વત્ર ઉમાશંકર અંતર્ગત કવિ શ્રી ઉમાશંકર જોશીની ૧૧૪મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અને કોલેજના સેમિનાર હોલ ખાતે કાર્યક્રમનો આરંભ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સંયોજક ડો.રામભાઈ વારોતરીયાએ અકાદમીના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. અને વક્તા ડો. સતીશભાઈ ડાંગરે ઉમાશંકર જોશીની એકાંકીઓ વિશે રસાળ શૈલીમાં પોતાનું તજજ્ઞ વક્તવ્ય આપેલ હતુ. મોરબીના જાણીતા કવિ લેખક સંજય બાપોદરીયાએ ઉમાશંકર જોશીની કાવ્ય સૃષ્ટિ અંતર્ગત  ઉત્તમ કવિતાઓ રજૂ કરી હતી. તો કાર્યક્રમ પ્રિન્સિપાલ પ્રા. કે.આર.દંગીના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ પરિવાર તથા મોરબીના સાહિત્ય રસીકો ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમની આભાર વિધિ ડો.રેખાબેને કરી હતી. અને કાર્યક્રમનું સંચાલન ડૉ.કવિતાબા ઝાલાએ કર્યું હતું. 




Latest News