મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો


SHARE













મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ થી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પકડાયેલ આરોપીએ તેના વકીલ મારફતે મોરબી કોર્ટમાં જામીન માટે અરજી મૂકી હતી જે જામીન અરજીને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

હાલમાં વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગત તા. 11/4/25 ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઇ મકવાણા એ મોરબી સીટી બી ડિવિઝન માં કુલ 11 ઈસમો સામે બી એન એસ કલમ 108 તથા ગુજરાત નાણાં ધીરધાર ની કલમ 40,42  અન્વયે ફરિયાદ આપેલી હતી કે ફરિયાદીના મોટા ભાઈ નિલેશભાઈ હરેશભાઇ મકવાણાએ હિતેશ માર્કેટીંગની ઓફિસે આરોપીના દબાણના કારણે જંતુનાસક દવા પી પોતે આપઘાત કર્યો હતો અને સુસાઇડ નોટના આધારે  પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમાલ વિગેરે 11 ઈસમો વિરુદ્દ ફરિયાદ આપેલ હતી જેથી ફરિયાદ ના આધારે આરોપી પ્રકાશભાઈ મેપાભાઇ પીઠમલ ને પોલીસ અટક કરી કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યો હતો આ આરોપીએ તેના વકીલ મયુર પી. પુજારા મારફતે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના વકીલ ની દલીલ સાંભળી આરોપીને સરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને આ કેસમાં આરોપી પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ તરફે મોરબીના વકીલ મયુર પુજારા રોકાયેલ હતા






Latest News