મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો


SHARE







મોરબીમાં વ્યાજખોરોના ત્રાસ થી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પકડાયેલ આરોપીએ તેના વકીલ મારફતે મોરબી કોર્ટમાં જામીન માટે અરજી મૂકી હતી જે જામીન અરજીને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

હાલમાં વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગત તા. 11/4/25 ના રોજ જીગ્નેશભાઈ હરેશભાઇ મકવાણા એ મોરબી સીટી બી ડિવિઝન માં કુલ 11 ઈસમો સામે બી એન એસ કલમ 108 તથા ગુજરાત નાણાં ધીરધાર ની કલમ 40,42  અન્વયે ફરિયાદ આપેલી હતી કે ફરિયાદીના મોટા ભાઈ નિલેશભાઈ હરેશભાઇ મકવાણાએ હિતેશ માર્કેટીંગની ઓફિસે આરોપીના દબાણના કારણે જંતુનાસક દવા પી પોતે આપઘાત કર્યો હતો અને સુસાઇડ નોટના આધારે  પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમાલ વિગેરે 11 ઈસમો વિરુદ્દ ફરિયાદ આપેલ હતી જેથી ફરિયાદ ના આધારે આરોપી પ્રકાશભાઈ મેપાભાઇ પીઠમલ ને પોલીસ અટક કરી કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યો હતો આ આરોપીએ તેના વકીલ મયુર પી. પુજારા મારફતે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના વકીલ ની દલીલ સાંભળી આરોપીને સરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને આ કેસમાં આરોપી પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ તરફે મોરબીના વકીલ મયુર પુજારા રોકાયેલ હતા






Latest News