બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા


SHARE











તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા

સમગ્ર રાજ્યની અંદર તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કેર પોર્ટલ નો ઉપયોગ કરીને લોકોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનની અરજી લેવામાં આવે અને ત્યારબાદ તેનું સતત મોનિટરિંગ કરીને ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન પોલીસ દ્વારા શોધી આપવામાં આવતા હોય છે દરમિયાન વાંકાનેર સિટી અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં જે અરજદારોના મોબાઈલ ફોન ખોવાઈ ગયા હોય કે ચોરાઇ ગયા હોય તેવા અરજદારો દ્વારા અરજીઓ આપવામાં આવી હતી તેના આધારે હિતેન્દ્રસિંહ ઝાલા અને હંસાબેન પાપોદરા દ્વારા કેર પોર્ટલ ઉપર સતત મોનિટરિંગ રાખીને જુદા જુદા વ્યક્તિના કુલ મળીને 11 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 1,92,292 ની કિંમતના મોબાઈલ ફોન અરજદારોને પોલીસ મથકે બોલાવીને વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજા અને તાલુકાના પીઆઈ બી.વી. પટેલ ના હસ્તે પરત આપવામાં આવ્યા હતા






Latest News