તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે કોંગ્રેસ કરશે મહાપાલિકાનો ઘેરાવ


SHARE











મોરબીમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે કોંગ્રેસ કરશે મહાપાલિકાનો ઘેરાવ

મોરબીમાં આજની તારીખે પ્રાથમિક સુવિધા માટે લોકો હેરાન છે ત્યારે લોકોને પાયાની સુવિધાઓ મળી રહે તેના માટે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે અને આગામી સોમવારે લોકોને સાથે રાખીને મહાપાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી કોંગ્રેસનાં પ્રમુખે ઉચ્ચારી છે અને લોકોને તેઓની સાથે જોડાવા માટેનું આહ્વાન કર્યું છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સોશયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જેમાં જણાવ્યું છે કે મોરબીના લાતી પ્લોટ, આલાપ રોડ, શ્રી કુંજ સોસાયટી, મહેન્દ્રનગર, ઇન્દીરાનગર, એલઇ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર છે તે સહિતના પ્રાથમિક સુવિધાને લગતા જે પ્રશ્નો છે તેને લઈને લોકો આંદોલન કરે એટ્લે રસ્તા ઉપર મોરમ નાખે છે જો કે, બે ઇંચ વરસાદમાં બધું હતું એવું ને એવું થઈ જાય છે જેથી મોરબીના લોકો કરોડોનો ટેક્સ જમા કરાવે તો પણ તેઓને સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી જેથી પ્રજાના હક્ક માટે કોંગ્રેસ લડાઈના મંડાણ કરશે અને આગામી સોમવારે કોંગ્રેસ સ્થાનિક લોકોને સાથે રાખીને મહાપાલિકા કચેરીનો ઘેરાવ કરશે ત્યારે મોરબીના ગાંધી ચોક ખાતે સવારે 11 વાગ્યે લોકોને આવવા માટે કોંગ્રેસનાં આગેવાનોએ આહ્વાન કર્યું છે.






Latest News