મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ટંકારા ઓવરબ્રિજ નજીક બાઈક સાથે બાઈક અથડાતા વૃદ્ધનું મોત


SHARE











ટંકારા ઓવરબ્રિજ નજીક બાઈક સાથે બાઈક અથડાતા વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના ટંકારા ખાતે આવેલ ઓવરબ્રીજ પાસે વહેલી સવારે બાઈક સાથે બાઈક અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં ગંભીરપણે ઘવાયેલ વૃદ્ધને બેભાન હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યાં ફરજ ઉપરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી પોલીસ દ્રારા ટંકારા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાયેલ છે.

ટંકારા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટંકારા ખાતે આવેલ ફલાઇ ઓવર પુલની નજીક તા.૯-૪ ના રોજ વહેલી સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં પચાસેક વર્ષના આધેડને ઈજા થઈ હોય ૧૦૮ વડે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.જોકે અહીં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.જોકે તે સમયે મૃતકની ઓળખ થઈ ન હતી અને આ અકસ્માત બનાવની જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી ટંકારા પોલીસ મથકના રાજુભાઈ કણજારિયા દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી હતી અને બાદમાં તપાસ દરમિયાન સામે આવ્યુ હતુ કે તા.૯ ના વહેલી સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં ટંકારા નજીક અકસ્માત બનાવો બન્યો હતો.તે બનાવમાં અનવરભાઈ સિદીકભાઇ સરવદી (ઉંમર ૪૯) રહે.ટંકારા પોલીસ સ્ટેશન પાછળ ટંકારા જીલ્લો મોરબી નું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.મૃતક અનવરભાઈ સરવદી બાઈક લઈને જતા હતા ત્યારે સંભવત: અજાણ્યા અન્ય કોઈ બાઈક સાથે તેમનું બાઈક અથડાયું હતું અને આ અકસ્માતમાં તેઓને ગંભીર ઇજા થતા ૧૦૮ વડે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા. જોકે અહીં તેઓને મૃત જાહેર કર્યા હતા.હાલ અકસ્માત બાદ વાહન લઈને ભાગી છુટેલા વ્યક્તિને શોધવા માટે ટંકારા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે.






Latest News