મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેફ્રિજેટરની રીપેરીંગની દુકાનમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ બાદ આગ ભભુકી, દોઢ કલાકે ફાયરની ટીમ ન પહોંચી !


SHARE















વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલ પાસે આવેલ ગેસ રીપેરીંગની દુકાનમાં મોડીરાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે અને આગ લાગતાની સાથે જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી ન હતી અને દુકાનમાં રહેલ સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ છે

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ પાસે આજે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં જીનીંગ મીલમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારે જિનિંગ મિલના ગ્રાઉન્ડમાં પડેલ કપાસનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો છે ત્યારબાદ મોડી રાતના સમયે વાંકાનેર શહેરમાં આવેલ સ્ટેચ્યુ સર્કલ પાસે વોરાના હજીરાની સામેના ભાગમાં રેફ્રિજરેટરના રીપેરીંગની દુકાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની આ ઘટનામાં દુકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે ઉલ્લેખનીય છે કે, આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક વાકાનેર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી જેથી કરીને દુકાનદારની દુકાન આગની ઝપેટમાં આવી જતા આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. જો કે, સદ્નસીબે દુકાન બંધ હતી ત્યારે ઘટના બનેલ હોવાથી કોઈ જાનહાની થયેલ નથી.






Latest News