મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના બે કેસમાં ફરિયાદી આર્થિક ક્ષમતા બતાવી ન શકતા ફરિયાદ રદ કરતી કોર્ટ


SHARE











મોરબીમાં ચેક રિટર્નના બે કેસમાં ફરિયાદી આર્થિક ક્ષમતા બતાવી ન શકતા ફરિયાદ રદ કરતી કોર્ટ

મોરબીમાં ચેક મુજબની રકમ આરોપીને હાથ ઉછીના આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી નહીં શકતા ચેક રીટર્નની ફરીયાદ રદ કરી આરોપીને છોડી મુકવાનો મોરબીની કોર્ટે હુકમ કરેલ છે.

તાજેતરમાં મોરબીની કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો ચુકાદો આપેલ છે. જે કેસની હકીકત એવી હતી કે, ફરીયાદી મોરબી જીલ્લાના રાજપર ગામના વતની ધનજીભાઈ કેશવજીભાઈ મારવાણીયાએ આરોપી શૈલેષ વેલજીભાઈ ચાવડાને હાથ ઉછીની રકમ ૧૦,૦૦,૦૦૦ આપેલ અને આ રકમ પરત ચૂકવવા માટે શૈલેષ વેલજીભાઈ ચાવડાએ ૫,૦૦,૦૦૦ નો એક તેવા કુલ બે ચેક ફરીયાદીને આપેલ હતા અને આ બન્ને ચેક ફરીયાદીએ નાણા વસુલવા પોતાના ખાતામાં રજુ કરતા, બન્ને ચેકો વણચૂકવ્યા પરત થયા હતા જેથી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં જુદા જુદા ચેક અંગેના ફોજદારી કેસ નાં. ૬૧૩૭/૨૦૨૦ તથા ફોજદારી કેસ નાં. ૬૨૯૫/૨૦૨૦ થી દાખલ કરી હતી જે બંને કેસ મોરબીના મહે. ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં ફરીયાદી પક્ષના પુરાવામાં ચેક મજબની રકમ આરોપીને હાથ ઉછીની આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી નહીં શકતા અને ૧૦,૦૦,૦૦૦ રોકડા આરોપીને ચૂકવેલ હોવાનું પુરવાર નહીં કરી શકતા બન્ને ફરીયાદ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો ખુબ જ મહત્વનો હુકમ કોર્ટે કરેલ છે.આ કેસમાં આરોપી તરફે વકીલ ચિરાગભાઇ કારીઆ અને રવિભાઇ કારીઆ રોકાયેલ હતા.






Latest News