મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ


SHARE













હળવદમાંથી ચોરી થયેલા વાહનનો ગ્રાહકને ૩.૩૨ લાખ વીમો વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો આદેશ

હળવદના વતની મેહુલ ભૂપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસેથી તા. ૨૦-૧૨-૨૦૨૩ ના રોજ ચોરી કરવામાં આવેલ છે અને તેમણે વિમો ચોલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સનો લીધેલ હતો. જો કે, વિમા કંપનીએ ફરિયાદીને ફરિયાદ મોડી લખાવ્યા સબબ વિમો આપવાનીના પાડતા મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો જેમાં ગ્રાહક અદાલતે ૩,૩૨,૫૦૦ રૂપિયા ટકાના વ્યાજ સાથે તા. ૨૦-૧૧-૨૦૨૪થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, હળવદના વતની મેહુલભાઈ ભુપતભાઈ રાતૈયાનું પીક અપ વાહન હળવદ માર્કેટીંગ યાર્ડ પાસે તા. ૧૯-૧૨-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે રાખવામા આવેલ હતું અને તે વાહનની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ફરિયાદ પણ કરેલ હતી જો કે, ગ્રાહકે તેના વાહનનો વિમો ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સમાંથી લીધેલ હતો. જો કે, ગ્રાહકે તેનું વાહન ચોરી થયેલ હોવાની તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે તેને દશેક દિવસ રાહ જોવાનું કહ્યું હતું ત્યાર બાદ ફરિયાદ લીધેલ હતી જેથી વિમા કંપનીએ ગ્રાહકે વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ છે તેવું બહાનું કહીને ગ્રાહકને વિમો નહી મળે તેમ જણાવ્યુ હતું જો કે, મેહુલભાઈએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ હતો અને અદાલતે ગ્રાહકે ફરિયાદ મોડી કરી તેનું કારણ પોલીસ ખાતા તરફથી રૂકજાવનો સંદેશો આવેલ હતો. જેથી વિમા કંપનીની કોઈપણ દલીલ માન્ય રાખેલ નહી અને મેહુલ ભૂપતભાઈને ૩,૩૨,૫૦૦ રૂપિયા તા. ૨૦-૧૧-૨૪ થી 6 ટકાના વ્યાજ સાથે અને ૫૦૦૦ રૂપિયા અન્ય ખર્ચના ચુકવવાનો અદાલતે વિમા કંપનીને હુકમ કરેલ છે. તેમ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા તેમજ બળવંતભાઈ ભટ્ટ અને રામભાઈ મહેતાએ જણાવ્યુ છે.






Latest News