મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE















ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિરપર પ્રાથમિક પ્રાથમિક શાળામાંથી ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. આવી જ રીતે નાનીબરાર તાલુકા શાળાના 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરેલ છે.

માળીયા(મિ) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 9 વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરેલ છે. જેમાં નેરા સુહાના, ચાવડા પ્રણાલી, ધોળકિયા પ્રિયા, નેરા મુસ્કાન, ડાંગર બંશ્રી, બકુત્રા મમતા, હેગલીયા આરતી, ટોરીયા કરણ અને કોઠીવાર મહિપતનો સમાવેશ થાય છે. જેથી શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા સહિતના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તો ટંકારા તાલુકાનાં વિરપર ગામની પ્રાથમિક શાળાના ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાંથી 12 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં નિલેશ રમેશભાઈ માલકીયા, એરામફાતમા મુસ્તાકભાઈ અન્સારી, કેવિન કુમાર વિનોદભાઈ ચાવડા, ધવલ વાલજીભાઈ ઉઘરેજા, માન્યતા જીગ્નેશ ભાઈ ચાવડા, તુષાર રમેશભાઈ રાઠોડ, મોમયો કિશોરભાઈ રાકાણી, નવ્ય જગમાલભાઈ ભુંભરિયા, કલ્પેશભાઈ બાબુભાઈ નલવૈયા, ઈન્દ્રજીતકુમાર રૂપસિંગભાઈ ડામોર, મોહિતભાઈ હિમસિંગભાઈ ડામોરનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ગોસરા સહિતના સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.






Latest News