મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાને કરેલા આપઘાતની જાણ જીપીએસ સિસ્ટમથી થઈ !


SHARE













મોરબી નજીક યુવાને કરેલા આપઘાતની જાણ જીપીએસ સિસ્ટમથી થઈ !

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે આવેલ કારખાના પાસે રાજસ્થાની યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બીયાવર જિલ્લાના શેરો કા બાલા વિસ્તારના રહેવાસી સુરેશસિંહ ધીરસિહ રાવત (27) નામના યુવાને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર ગામ પાસે કેડા કારખાના પાસે પોતાનો ટ્રક ઊભો રાખીને ઝાડ સાથે કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની  નારણસિંહ ત્રીલોકસિહ રાવત (33) રહેશેરો કા બાલા જીલ્લો બિયાવર રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન ગાંધીધામથી ટ્રક લઈને માલ ભરવા માટે મોરબી આવી રહ્યો હતો જો કે, ટ્રકમાં લગાવવામાં આવેલ જીપીએસ સિસ્ટમ મુજબ ટ્રક બે કલાક મોડો હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી કરીને ગાંધીધામ ઓફિસેથી મોરબી ઓફિસે જાણ કરવામાં આવી હતી જેથી મોરબી ટ્રકના લોકેશન ઉપર ગયા હતા ત્યારે રોડ સાઈડમાં ટ્રક ઊભો હતો અને ત્યાં ઝાડ સાથે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News