હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાને કરેલા આપઘાતની જાણ જીપીએસ સિસ્ટમથી થઈ !


SHARE











મોરબી નજીક યુવાને કરેલા આપઘાતની જાણ જીપીએસ સિસ્ટમથી થઈ !

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે આવેલ કારખાના પાસે રાજસ્થાની યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બીયાવર જિલ્લાના શેરો કા બાલા વિસ્તારના રહેવાસી સુરેશસિંહ ધીરસિહ રાવત (27) નામના યુવાને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર ગામ પાસે કેડા કારખાના પાસે પોતાનો ટ્રક ઊભો રાખીને ઝાડ સાથે કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની  નારણસિંહ ત્રીલોકસિહ રાવત (33) રહેશેરો કા બાલા જીલ્લો બિયાવર રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન ગાંધીધામથી ટ્રક લઈને માલ ભરવા માટે મોરબી આવી રહ્યો હતો જો કે, ટ્રકમાં લગાવવામાં આવેલ જીપીએસ સિસ્ટમ મુજબ ટ્રક બે કલાક મોડો હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી કરીને ગાંધીધામ ઓફિસેથી મોરબી ઓફિસે જાણ કરવામાં આવી હતી જેથી મોરબી ટ્રકના લોકેશન ઉપર ગયા હતા ત્યારે રોડ સાઈડમાં ટ્રક ઊભો હતો અને ત્યાં ઝાડ સાથે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News