વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં બે અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE











હળવદ તાલુકામાં બે અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

હળવદ તાલુકામાં વ્યાજવટાવ, મારામારી અને લૂંટના ગુનામાં સંડોવાયેલ બે અસામાજીક તત્વોની સામે પોલીસે અને રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને અંદાજે એક કરોડની કિંમતની જમીનમાં કરવામાં આવેલ દબાણને દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવેલ છે.

ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીઅસામાજીક તત્વોની યાદી તૈયાર કરીને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલ હતી જેથી ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ અર.ટી.વ્યાસ અને તેની ટીમે અસામાજીક તત્વોની યાદી બનાવેલ હતી અને અસમાજીક પ્રવૃતીઓ જેવી કે ચોરી, મારામારી, દારૂ વેચાણ, લૂંટ જેવા ગુનામાં સંડોવાયેલ કુલ ૧૦ આરોપીના ગેરકાયદે દુકાન, મકાન, હોટેલ તોડી પાડવામાં આવેલ છે અને ૮ આરોપીના વીજ કનેક્શન કટ કરીને રોકડ ૧૧,૯૫,૦૦૦ નો દંડ કરેલ છે. દરમ્યાન મંગળવારના રોજ વ્યાજવટાવ તથા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હળવદ માર્કેટ યાર્ડની સામે રહેતા બટુકભાઇ બાબુભાઇ કાંકરેયા જે વ્યાજવટાવ તથા મારામારીમાં સંડોવાયેલ હતો તેનું હળવદ માર્કેટીંગ યાર્ડની સામે રહેણાંક મકાન ડિમોલિશન કરેલ છે અને આશરે 550 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવેલ છે અને જે જમીનની કિંમત ૧૧,૩૭,૩૦૦ થાય છે અને ઘનશ્યામપુર ગામે રહેતા રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલા જે મારામારી તથા લુંટના ગુનામાં સંડોવાયેલ છે તેને સરકારી જમીન ઉપર કબ્જો કરેલ હતો જે જમીન આશરે ૪૦૪૬ ચોરસ મીટર અને તેની કિંમત ૫૯,૯૯,૫૮૦ થાય છે આ બંને સરકારી જમીન આજે ખુલ્લી કરાવવામાં આવેલ છે. ત્યારે ડીવાયએસપી, મામલતદાર, પીઆઇ સહિતના હાજર રહ્યા હતા.






Latest News