મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૫ પ્રશ્નો શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક રજૂ કરાયા


SHARE







મોરબી જિલ્લાના ૧૫ પ્રશ્નો શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક રજૂ કરાયા

તાજેતરમાં કર્ણાવતીના મણિનગરના ડો. હેડગેવાર ભવન ખાતે શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળેલ હતી જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લાના અધ્યક્ષ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લાના જુદાજુદા પંદર પ્રશ્નો રજૂ કર્યા હતા.

અખિલ ભારતીય રાષ્ટ્રીય કારોબારી ગુજરાત પ્રાંતની ટીમ ખુબજ એકટીવ બની અત્યાર સુધી અનેક પ્રશ્નોની સફળ રજુઆતો કરી સફળતા પ્રાપ્ત કરેલ છે તાજેતરમાં કર્ણાવતીના મણિનગરના ડો. હેડગેવાર ભવન ખાતે યોજાયેલી શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં જુદાજુદા મોરબી જિલ્લાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વર્ષ:-૨૦૦૫ પછી નિમણુંક પામેલ શિક્ષકોને જૂની પેંશન યોજનામાં સમાવવા બાબત, વર્ષ:-૨૦૦૫ પહેલાંના કર્મચારીઓની સીપીએફ કપાત બંધ કરી તા.01.04.2025 થી જીપીએફ એકાઉન્ટ ઓપન કરવા બાબત, વર્ષ:-૨૦૧૩ માં થયેલ નવ રચિત જિલ્લાઓના શિક્ષકોના જીપીએફના નાણાં જુના જિલ્લામાંથી નવ રચિત જિલ્લામાં  ટ્રાન્સફર કરવા બાબત, સીપીએફ એકાઉન્ટ ઓપન કરવામાં પાંચ પાંચ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ જાય છે, ઝડપથી કાર્યવાહી થાય એ માટે જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરવા બાબત, ખાતાકીય પરીક્ષા કલાસ-2 ની પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને પરીક્ષા આપવાની છૂટ આપવા બાબત, વર્ષ દરમ્યાન શિક્ષકોને પોતાના વર્ગ બાળકોના ભોગે ઘણી બધી તાલીમો આપવામાં આવે છે એ તાલીમ ઓછી કરવા સહિતના કુલ મળીને ૧૫ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં હિતેશભાઈ ગોપાણી, દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા, પ્રવિણભાઈ ધોળુ, સંદીપભાઈ આદ્રોજા, હિતેશભાઈ પાંચોટીયા, નિરવભાઈ બાવરવા સહિતના હાજર રહ્યા હતા.






Latest News