સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી ખાતે સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં સારસ્વત સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીની આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી ખાતે સાંસદ પરસોતમભાઈ રૂપાલાની હાજરીમાં સારસ્વત સન્માન સમારોહ યોજાયો

મોરબીના લક્ષ્મીનગર પાસે આવેલ આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી ખાતે આર્યતેજ ગ્રૂપ ઓફ કોલેજ દ્વારા સારસ્વત સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટના વર્તમાન સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, માજી ધારાસભ્ય બાનવજીભાઈ મેતલીય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શિક્ષકોનું સન્માન સાંસદ સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સાંસદ પરસોતમભાઈ રૂપાલા પોતાની આગવા અંદાજમાં લોકોનું  સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, “આજની તારીખે ઘણા એવા બાળકો છે જેને ગુજરાતી આવડતું નથી અને તે વાતનો તેના માતા પિતાને ગર્વ હોય છે જો કે, માતૃભાષા વગર આપણી રાષ્ટ્રીયતા અને અસ્મિતા માતૃભાષા વગર ખીલશે નહીં માટે બાળકોને માતૃભાષા સાથે જોડાવા માટેનો શિક્ષકો દ્વારા પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે”. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્યાવર્ત એજ્યુકેશન એકેડમીના મેનેજીંગ ટ્રસ્ટી પ્રશાંતભાઈ ગોરીયા અને રમેશભાઇ કૈલા સહિતના સંચાલકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News