મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ભારે કરી, માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા યુવાનને વેરાવળથી ઈ-ચલણ આવ્યું !


SHARE











ભારે કરી, માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા યુવાનને વેરાવળથી ઈ-ચલણ આવ્યું !

માળીયા (મી)ના નાના એવા સુલતાનપુર ગામના રહેવાસી યુવાનને વેરાવળથી ઈ-ચલણ મોકલાવવામાં આવ્યું છે અને તેને બાઈક ઉપર ત્રણ વ્યક્તિઓ બેઠા છે તે પ્રકારના ફોટો સાથે ઈ-ચલણ આવ્યું છે ત્યારે સવળ એ ઊભો થાય છે કે, યુવાન ક્યારેય વેરાવળ બાઇક લઈને ગયેલ નથી તો પણ તેને ઈ-ચલણ આવતા યુવાન મૂંઝવણમાં મુકાયેલ છે

સામાન્ય રીતે એસી ઓફિસમાં બેઠા બેઠા સીસીટીવી કેમેરા ચેક કરીને ઇ-ચલણો બનાવવામાં આવતા હોય છે પરંતુ તે ઈ0ચલણો બનાવતી વખતે સ્પષ્ટપણે નંબર પ્લેટ દેખાતી ન હોવા છતાં પણ જે ઈ-ચલણો બનાવવામાં આવે છે તેના કારણે ઘણી વખત નિર્દોષ લોકોને ઈ-ચલણ મોકલવામાં આવતા હોય આવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના નાના એવા સુલતાનપુર ગામે રહેતા ભાવેશભાઈ વિડજા કે જેને હાલમાં વેરાવળથી બાઈક ઉપર ત્રણ વ્યક્તિ બેસાડેલ છે તેવું ઈ-ચલણ આવ્યું છે જો કે, ભાવેશભાઈના કહેવા મુજબ તે બાઈક લઈને ક્યારેય વેરાવળ ગયેલા નથી અને તેમના બાઈકનો નંબર જે છે તે જીજે 3 એચપી 4520 છે જ્યારે ઈ-ચલણમાં જે ગાડીનો નંબર દેખાય છે તે નંબર જીજે 3 એચએફ 4520 છે તેમ છતાં પણ તેઓને હાલમાં ઈ-ચલણ મોકલાવવામાં આવ્યું છે જેથી હાલમાં પોલીસ તંત્રની બેદરકારીના કારણે ભાવેશભાઈ વિડજાનું મુઝવણ વધી ગયેલ છે.






Latest News