મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો. દ્વારા ગેસના ભાવમાં ઘટાડો-વેરા સમાધાન યોજના માટે કેબિનેટ મંત્રીને રજૂઆત


SHARE













મોરબી સિરામિક એસો. દ્વારા ગેસના ભાવમાં ઘટાડો-વેરા સમાધાન યોજના માટે કેબિનેટ મંત્રીને રજૂઆત

ગુજરાત ગેસના મેનેજિંગ ડાયરેક્ટરને મોરબી સિરામિક એસો. દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. અને ઘણા કારખાના હાલમાં બંધ છે ત્યારે ડોલરનો ભાવ ઉંચો જતાં ઈન્ડસ્ટ્રીઝને મંદીનો બેવડો માર પડી રહ્યો છે જો કે, વિશ્વ બજારમાં ગેસના ભાવમાં ઘટાડો થયો છે. તેને ધ્યાને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસના ભાવમાં રાહત આપવામાં આવે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ ટકી શકે તેમ છે. વધુમાં જણાવ્યુ છે કે, વર્ષ 2019-20 માં વેરા સમાધાન યોજના અમલમાં આવી હતી. અને સામાન્ય રીતે દર પાંચ વર્ષે વેરા સમાધાન યોજનાની સ્કીમ આવતી હોય છે. તેથી હવે 2024-25ના વર્ષમાં આવી જ વેરા સમાધાન યોજના અમલમાં મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને વેટ કાયદા હેઠળની વસુલાત રાહત યોજના એક વર્ષ અગાઉ લગભગ દરેક રાજ્યમાં આવેલ છે જે ગુજરાત રાજ્યમાં આવેલ નથી જેથી વેરા સમાધાન યોજના લાવી મૂળ વેરો ભરાવી દંડ + વ્યાજમાં સંપૂર્ણ માફી આપવામાં આવે તેવી કેબિનેટ મંત્રીઓને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.






Latest News