સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો. દ્વારા ગેસના ભાવમાં ઘટાડો-વેરા સમાધાન યોજના માટે કેબિનેટ મંત્રીને રજૂઆત


SHARE











મોરબી સિરામિક એસો. દ્વારા ગેસના ભાવમાં ઘટાડો-વેરા સમાધાન યોજના માટે કેબિનેટ મંત્રીને રજૂઆત

ગુજરાત ગેસના મેનેજિંગ ડાયરેક્ટરને મોરબી સિરામિક એસો. દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. અને ઘણા કારખાના હાલમાં બંધ છે ત્યારે ડોલરનો ભાવ ઉંચો જતાં ઈન્ડસ્ટ્રીઝને મંદીનો બેવડો માર પડી રહ્યો છે જો કે, વિશ્વ બજારમાં ગેસના ભાવમાં ઘટાડો થયો છે. તેને ધ્યાને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસના ભાવમાં રાહત આપવામાં આવે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ ટકી શકે તેમ છે. વધુમાં જણાવ્યુ છે કે, વર્ષ 2019-20 માં વેરા સમાધાન યોજના અમલમાં આવી હતી. અને સામાન્ય રીતે દર પાંચ વર્ષે વેરા સમાધાન યોજનાની સ્કીમ આવતી હોય છે. તેથી હવે 2024-25ના વર્ષમાં આવી જ વેરા સમાધાન યોજના અમલમાં મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને વેટ કાયદા હેઠળની વસુલાત રાહત યોજના એક વર્ષ અગાઉ લગભગ દરેક રાજ્યમાં આવેલ છે જે ગુજરાત રાજ્યમાં આવેલ નથી જેથી વેરા સમાધાન યોજના લાવી મૂળ વેરો ભરાવી દંડ + વ્યાજમાં સંપૂર્ણ માફી આપવામાં આવે તેવી કેબિનેટ મંત્રીઓને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.






Latest News