મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી


SHARE











મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી

મોરબી તથા માળીયા મીંયાણા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય તરીકે કાર્યરત કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પશુ દવાખાનાઓ મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્ય વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મોરબી તાલુકાના નાગડાવાસ ગામે તેમજ માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવામાં આવ્યા છે.જેના લીધે આ વિસ્તારના પશુધારકોને સગવડતા મળશે અને પશુઓને સારી સારવાર ઉપલબ્ધ થશે.મોરબીના નાગડાવાસ અને માળિયાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવા બદલ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News