મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત


SHARE











મોરબી જિલ્લાના માળિયા પંથકમાં આવેલ મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા સાંસદની સરકારમાં રજુઆત

મોરબી જીલ્લામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદના કારણે માળિયા પંથકમાં આવેલ મીઠાના ઉદ્યોગને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે ત્યારે ઉત્પાદકોને થયેલા નુકસાનને લઈને રાજ્યસભાના સાંસદ દ્વારા મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માને મીઠા ઉદ્યોગને થયેલ નુકશાનનો સર્વે કરાવવા લેખિત રજુઆત કરી છે

વાંકાનેરના રાજા અને રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ઓગસ્ટના છેલ્લે અઠવાડિયામાં પડેલા ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને મોટું નુકશાન થયેલ છે અને માળીયા તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય મીઠા ઉદ્યોગનો છે જેથી કરીને મીઠાના મોટા અને નાના એકમોને થયેલ નુકશાન, મીઠાના સ્ટોકને થયેલ નુકશાન, મીઠાનું ધોવાણ, મીઠાના મેઈન બંધપાળાતળાવોકયારાઓરોડ મશીનરીઓઈલેક્ટ્રીક મોટરો તથા વાયરીંગરોડરસ્તાઓમાં ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ નુકસાનીનો સર્વે કરાવી મીઠા ઉદ્યોગોને સહાય આપવામાં આવે તે માટેની ભલામણ કરી છે.




Latest News