સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

વાંકાનેરની પરશુરામ સોસાયટીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરની પરશુરામ સોસાયટીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

વાંકાનેરમાં આવેલ પરશુરામ સોસાયટીમાં પાણીની મોટરનો વાયર લુઝ હતો જેથી કરીને યુવાન તેનું રિપેરિંગ કરી રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઈ મોહનભાઈ ચાવડા પોતે પોતાને ઘરે પાણીની મોટરનો વાયર લુઝ હોય તેનું રીપેરીંગ કામ કરતા હતા ત્યારે લાઈટ ન હતી અને અચાનક ઇલેક્ટ્રીક શોર્ટ લગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ એન્ટીલા સીરામીક ખાતે રહેતા સંગીતાબેન દિલીપભાઈ યાદવ (30) નામની મહિલાને કોઈ અજાણ્યા બાઈક ચાલકે કારખાના નજીક હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તેમાં મહિલાને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા રામાભાઇ બાબુભાઈ અખીયાણી (40) ને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની તપાસ જીલુભાઈ ગોગરા ચલાવી રહ્યા છે






Latest News