ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની શેરી, ગલીથી લઈને સ્ટેટ અને નેશનલ હાઈવે રોડ ઉપર રજડતા ઢોરનો અડિંગો: તંત્રના તબોટા


SHARE











મોરબીની શેરી, ગલીથી લઈને સ્ટેટ અને નેશનલ હાઈવે રોડ ઉપર રજડતા ઢોરનો અડિંગો: તંત્રના તબોટા

મોરબી શહેરમાં શેરી, ગલીથી લઈને સ્ટેટ અને નેશનલ હાઈવે રોડ ઉપર પણ રજડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અને જ્યાં જુઓ ત્યાં 24 કલાક રજડતા ઢોર રસ્તા ઉપર અડીંગા જમાવીને બેઠા હોય છે. જેથી કરીને આ રસ્તા ઉપર રજડતા ઢોર ગમે ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

હાલમાં મોરબી શહેરના પાડા પુલ ઉપર જે ફૂટપાથ લોકોને ચાલવા માટે થઈને બનાવવામાં આવી છે આ ફૂટપાથ ઉપર રજડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે. તથા જે પાડાપુલનો રસ્તો છે તે રસ્તા ઉપર પણ 50 ટકા સુધી રજડતા ઢોર બેઠેલા છે તે પ્રકારના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આવી જ રીતે મોરબીમાં શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ સહિતના મુખી માર્ગ અને ચોકમાં રજડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા હોવાના કારણે લોકોને ક્યાં ચાલવું તે સૌથી મોટો પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે.

જો કે, મોરબી નગરપાલિકાના અધિકારીઓ અવારનવાર ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેવા પ્રકારના નિવેદનો આપે છે પરંતુ મોરબીનો એક પણ વિસ્તાર આજની તારીખે એવો નથી કે, જ્યાં રજડતા ઢોરની સમસ્યા ન હોય ત્યારે મોરબીના પાડાપુલ ઉપરની ફૂટપાથ, નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવેથી લઈને મુખ્ય માર્ગો અને ચોકમાં 24 કલાક રજડતા ઢોરના અડીંગા જમાવીને બેઠા હોય છે. તે ઢોરને ઉપાડવા માટેની કામગીરી પહેલા કરવામાં આવે અને કોઈ નિર્દોષ વ્યક્તિનો આ રજડતા ઢોરના કારણે ભોગ લેવાય ત્યાર પહેલાં નક્કર કામગીરી થાય તેવું મોરબીના લોકો ઈચ્છી રહ્યા છે.






Latest News