ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી


SHARE











મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી

મોરબીમાં સેવાકીય કામ સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વર્ષ દરમ્યાન 200 થી વધુ સેવાકીય  સાહિતની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની વચ્ચે આ પ્રવૃત્તિઓમાની એક રક્તદાન મુહિમ એટલે "લોહી માં છે માનવતા" આ મુહિમ અંતર્ગત 365 દિવસ અને 24 x 7 દરમિયાન કોઈના આકસ્મિક સમયે જો લોહીની જરૂરિયાત ઉભી થાય તો એ જરૂરિયાત યંગ ઇન્ડિયા ગ્રૂપ પોતાના સભ્યો તેમજ પોતાની સાથે સંકળાયેલ સેવાભાવી લોકોની મદદથી પુરી કરે છે.આ અંગે  યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં આવે છે. અને આ રક્તદાનની મુહિમ છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને તેમના આકસ્મિક સમયે  તેમના ગ્રુપના સભ્યો તેમજ સાથી સેવાભાવી મિત્રોની મદદથી લોહી પૂરું પાડીને નવજીવન આપવામાં આવ્યું છે. અને વર્લ્ડ રક્તદાન દિવસની વિશેષ ઉજવણી અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રૂપના 18 સભ્યોએ રક્તદાન કર્યું હતું અને તેઓની આ "લોહી માં છે માનવતા" મુહિમમાં જોડાવવા માટે મોબાઈલ નંબર 8000827577 અને 8141322202 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News