મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે


SHARE







મોરબીમાં મહાપ્રભુજીની બેઠક ખાતે વૈશ્વાનર વિભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

મોરબીમાં સામાકાંઠે એલ.ઇ. કોલેજની બાજુમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં આગામી તા. ૪/૫ ના દિવસે વૈશ્વાનર વિભુના ૫૪૭ મો પ્રાગટ્ય દિવસ ઉજવાશે તેમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે

મોરબીમાં મહાપ્રભુજીની બેઠક આવેલ છે ત્યાં પુષ્ટિ માર્ગના આરાધ્ય વૈશ્વાનર વિભુના ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આગામી ચૈત્ર વદ-૧૧ ને તા. ૪ શનિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશ્વાનર વિભુના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થવાની છે જેમાં સવારે ૭:૦૦ વાગ્યા જાગ્યાના દર્શન, સવારે ૭:૩૦ કલાકે મંગળા દર્શન, ૧૦:૦૦ કલાકે શ્રીંગાર દર્શન, ૧૦:૧૫ કલાકે પલના દર્શન, બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શન થશે. આ પ્રાગટ્ય પર્વ મહોત્સવ નિમિત્તે સવારે ૭:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી અને ૩:૩૦ થી ૬:૩૦ સુધી ઝારી ચરણ સ્પર્શ થશે. અને તિલક દર્શન તથા નંદ મહોત્સવ બપોરે ૪:૦૦ કલાકે યોજાશે. અને ધાર્મિક મહોત્સવમાં સમસ્ત વૈષ્ણવ સમાજને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News