મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે બે દીકરાના લગ્ન ન થતાં હોવાથી ટેનશનમાં આવી ગયેલ વૃદ્ધાએ ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબીના કોયલી ગામે બે દીકરાના લગ્ન ન થતાં હોવાથી ટેનશનમાં આવી ગયેલ વૃદ્ધાએ ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના કોયલી ગામે વાડીમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મૃતક વૃદ્ધાના બે દીકરાના લગ્ન થતાં ન હોવાથી તેના ટેન્શનમાં આવી જતા તેને આ પગલું ભર્યું હોવાનું તેના પરિવારજનોએ જણાવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે લાખાભાઈ બોરીચાની વાડીએ રહેતા શાયરીબેન અમરશીભાઈ ભુરીયા (૬૪) નામના વૃદ્ધાએ ત્યાં વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક વૃદ્ધાને પાંચ સંતાન  છે અને તેના બે દીકરાના લગ્ન થતાં ન હોવાથી તેના ટેન્શનમાં આવી જતા તેમણે આ પગલું ભર્યું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

યુવાન સારવારમાં

ટંકારાના ઘુનડા ગામે રહેતા પ્રવીણભાઈ રૂપાભાઈ બાવરવા (૨૬) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પહેલા જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ છે માટે ત્યાં જાણ કરી છે

ફિનાઇલ પી જતાં સારવારમાં

માળીયા મીયાણા ખાતે રહેતા હનીફભાઈ હારુનભાઈ મોવર (૨૬) નામનો યુવાન તેના ઘર પાસે હતો ત્યારે ઘર નજીકથી ફિનાઈલ પી ગયો હતો અને જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી પોલીસે ત્યાં આ બનાવની જાણ કરી છે






Latest News