વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક ત્રિમંદિર પાસેથી રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE











મોરબી નજીક ત્રિમંદિર પાસેથી રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ આધેડ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર પાસેથી રીક્ષા લઈને પસાર થયેલા આધેડની રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા અબ્દુલભાઈ સુમારભાઈ સુમરા (૫૦) નામના આધેડ રિક્ષામાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં અકસ્માતે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં અબ્દુલભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ વ્યાસ (૫૯) નામના વૃદ્ધ કુળદેવી પાન પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતના બનાવમાં ચંદ્રકાંતભાઈને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરલે છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે

બાળક સારવારમાં

મોરબીમાં ત્રાજપર પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ચંદ્રવાડીયાનો દીકરો દેવાંગ દિનેશભાઈ ચંદ્રવાડીયા (૧૨) તેના પિતાના બાઈકમાં પાછળના ભાગે બેસીને વાડીએ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને તેને ઇજા થયેલ હતી માટે તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી છે






Latest News