મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી ઓવરબ્રિજ, પીએચસી અને પોલીસ સ્ટેશન બનાવવાની સીએમને રજુઆત


SHARE











મોરબીની પીપળીયા ચોકડી ઓવરબ્રિજ, પીએચસી અને પોલીસ સ્ટેશન બનાવવાની સીએમને રજુઆત

મોરબીના નવલખી રોડે આવેલ પીપળીયા ચોકડી ટ્રાફિક સહિતના પ્રશ્નોનાં ઉકેલ માટે હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે અને ત્યાં ઓવરબ્રિજ, પીએચસી અને પોલીસ સ્ટેશન બનાવ હાલમાં સામાજિક કાર્યકર દ્વારા સીએમને રજુઆત કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીની પીપળીયા ચોકડી પાસેથી નવલખી બંદર તરફ જવાનો રસ્તો અને કચ્છથી જામનગર તરફ જવા માટેનો રસ્તો પસાર થાય છે ત્યારે ત્યાં ટ્રાફિક વધુ રહે છે અને ૨૪ કલાક વાહનોનું પરિવહન થતું હોવાથી ત્યાં નાના મોટા અકસ્માતો પણ થાય છે જેથી કરીને અકસ્માતોને નિવારવા માટે અને લોકોને સુવિધા મળે તે માટે પીપળીયા ચોકડીએ ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ મોરબી અને માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ પણ ઝડપથી મળી રહે તે માટે પીપળીયા ચાર રસ્તા પાસે પીએચસી બનાવવામાં આવે તેમજ લોકોની સલામતી માટે ત્યાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ પીપળીયા ચોકડીએ બસ સ્ટેશન બનાવવામાં આવે તો લોકોને સુવિધામાં વધારો થાય તેમ છે તેમજ જુદાજુદા ગામોમાં સિંચાઈ સુવિધા ન હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોનું સ્થળાંતર થઈ રહ્યું છે જો સિંચાઇ માટેનું પાણી મળે તેવું આયોજન પણ સરકાર દ્વારા દ્વારા કરવામાં આવે તો ગામડાઓને તૂટતાં બચાવી શકાય તેમ છે જેથી આ તમામ સુવિધાઓને વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરાઇ છે






Latest News