હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારની લજાઈ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE











ટંકારની લજાઈ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડી પાસેથી બાઈક લઈને જઈ રહેલા આધેડના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેઓને માથામાં હેમરેજ જેવી ગંભીર થઇ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે મનસુખભાઈ ફેફરની વાડીએ રહેતા મૂળ કચ્છ જિલ્લાના કાનમેર ગામના રહેવાસી રજનીભાઈ નાનજીભાઈ વાઘેલા જાતે અનુ. જાતિ (૨૫)એ અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. ૧૮/૧/૨૪ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેના પિતા નાનજીભાઈ વાઘેલા પોતાનું બાઈક નંબર જીજે ૩૬ કયું ૫૦૩૨ લઈને લજાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં હેમરાજ જેવી ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે આવેલ શ્રીજી એસ્ટેટમાં આર.પી. ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતો હોય ત્યાં કામ કરતો રાજકુમાર મનગોર કોલ (૨૩) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યો હતો દરમિયાન તેને કોઈ કારણોસર તેને ઇજા થઈ હતી જેથી કરીને મોરબી શહેરના રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે તેને લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં સર્કિટ હાઉસની બાજુમાં આવેલ માળિયા ફાટક નજીક મારામારીના બનાવમાં તોફિકશા નજીરશા (૨૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી સારવાર માટે તેને તેના પત્ની હુસેનાબાનુ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળથી કાર્યવહી કરી હતી અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના રાજેશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News