ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી


SHARE











માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી

મોરબી જીલ્લામા આવેલ માળીયા મિૅંયાણા તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમા મંડળીના પ્રમુખ દ્વારા મંડળીના જુના સભ્યોના નામો રદ કરી નાંખી તાલુકા બહારના તેના મળતીયાઓના નામ દાખલ કરીને ગેરકાયદે જમીન ફાળવવામાં આવેલ હતી. જે બાબતે છેલ્લા ૩ વર્ષથી મંડળીના સભ્યો લડત ચલાવી રહયા હતા. છેલ્લા ૨૬ દિવસથી મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાશ આંદોલન ચલાવી રહયા હતા.

જેમા મોરબી જીલ્લાની મુલાકાતે આવેલ પ્રભારી સચિવ ડો.મનિષા ચંદ્રા દ્વારા કલેકટર જી.ટી.પંડયા, જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા, અધિક કલેકટર ખાચર, મામલતદાર મહેતા અને દલીત સમાજના આગેવાનો રાજેશભાઇ ચૌહાણ, મુળજીબાપા, કિશોરભાઇની હાજરીમાં શાંતીથી સાંભળવામાં આવ્યા હતા અને જવાબદારોની સામે કડક પગલા ભરવા અને મંડળીના સભ્યોને પુન: દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ડો.મનિષા ચંદ્રા દ્વારા ખાતરી આપવામાં આવતા કલેકટર પંડયાના હસ્તે ઉપવાસીઓના પારણા કરાવવામાં આવ્યા હતા.સાથોસાથ મોરબી જીલ્લા દલીત સમાજના વિવિધ પ્રશ્નનો બાબતે પણ પ્રભારી સચિવ સાથે ચર્ચા કરીને હકારાત્મક ઉકેલ લાવી દલીત સમાજના પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી.






Latest News