હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત-પૂજન કરાયું


SHARE











મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત-પૂજન કરાયું

આગામી ૨૨ મી જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને અયોધ્યાથી આવેલા પુજીત અક્ષતને દરેક ગામ સુધી પહોંચાડીને ત્યાંથી પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું મહાઅભિયાન મોરબી જીલ્લામાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત- પૂજન સાથે ભવ્ય કળશ યાત્રા કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ કારસેવક અનોપસિંહના નિવાસ સ્થાને મંત્રોચાર દ્વારા અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી લોકો દ્વારા અક્ષત કુંભને શોભાયાત્રા બેન્ડબાજા સાથે ગરબા-રાસ કરતા કરતા મોચી ચોકથી મધુર ચોક, ગ્રીન ચોકથી દરબાર ગઢ થઈને દેશળ ભગત હોલે શ્રી રામ મંદિરે અક્ષત કુંભના સામૈયા કર્યા હતા આ સમગ્ર શોભા યાત્રામાં લોકો દ્વારા અક્ષત કુંભનું સ્વાગત-પૂજન કરીને ધન્યતાની અનુભૂતિ કરતા જોવા મળ્યા હતા અને દેશળ ભગત હોલે શ્રી રામ મંદિરે ધર્મસભામાં પીપળી ગામના હરિહર આશ્રમના મહંત શરદ મુનિ ઉદાસીને આશીર્વચન આપ્યા હતા તેમજ કાર સેવકો પ્રદીપભાઈ વાળા અને અનોપસિંહ જાડેજાએ ૧૯૯૦-૯૨ ની કાર સેવાની યાદોને તાજી કરી હતી અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના મુખ્ય વક્તા પિન્ટુભાઈ મેરજાએ રામ જન્મભૂમિના સંઘર્ષની વાત કરી હતી અને આગામી ૨૨ જાન્યુઆરીએ દિવાળીથી વિશેષ ઉજવણી કરવા લોકોને આહવાન કર્યું હતું




Latest News