ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે રિસામણે બેઠેલ દીકરીને સાસરે જવાનું માતાએ કહેતા અનંતની વાટ પકડી


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે રિસામણે બેઠેલ દીકરીને સાસરે જવાનું માતાએ કહેતા અનંતની વાટ પકડી

મોરબી નજીકના રફાળેશ્વર ગામે બાપા સીતારામ શેરી ખાતે માવતરના ઘરે રિસામણે બેઠેલા પરણીતાએ પિતાના ઘરે હતી ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને રિસામણે બેઠેલ પરણીતાને તેની માતાએ સાસરે જવા માટે કહ્યું હતું જેથી તેને લાગી આવતા અંતિમ પગલું ભરી લીધું હોવાનું પરિવારે જણાવ્યુ હોય તેની પોલીસે નોધ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ ખાતે બાપા સીતારામ શેરીમાં પોતાના માવતરના ઘરે રહેતા પૂજાબેન અરવિંદભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (૨૮) છેલ્લા છ મહિનાથી પોતાના માવતરને ત્યાં રીસામણે બેઠેલ છે અને તેની ત્રણ વર્ષની દીકરી તેના પતિ પાસે છે દરમિયાન મૃતક પરણીતાને તેની માતાએ સાસરે જવા માટે થઈને કહ્યું હતું અને જે બાબતે તેને લાગી આવતા તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક પરણીતા છેલ્લા છ મહિનાથી પોતાના માવતરને ત્યાં રિસામણે બેઠેલ છે અને તેની માતાએ તેને સાસરે જવા માટે તેને કહ્યું હતું જે બાબતે લાગી આવતા તેને આ પગલું ભરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં
મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા પ્રકાશ પ્રવીણભાઈ સાવરીયા નામના ૨૭ વર્ષના યુવાને તેના ઘરે જાતે હાથ અને ગળાના ભાગે છરકા મારતા તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ ત્યાંથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ ઉપરોક્ત બનાવના કારણ બાબતે સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મારામારીમાં આધેડ મહિલા ઇજાગ્રસ્ત
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ દફતરી શેરીમાં રહેતા હંસાબેન પંકજભાઈ મહેતા નામના ૫૦ વર્ષીય મહિલા કામ સબબ મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા તેમના સંબંધીને ત્યાં ગયા હતા.ત્યારે ત્યાં કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બાદમાં બનાવની બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા સ્ટાફ વાલભા ચાવડા દ્વારા તપાસ કરવામાં આવેલ છે.  






Latest News