ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી ગયું


SHARE











મોરબીના ખાનપર ગામે દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી ગયું

મોરબી તાલુકાના ખાનપર ગામે જિલ્લા વિકાસ અધિકારી  દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ. છાસીયા ,વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા, તલાટી કમ મંત્રી ખાનપર જયેશભાઇ નકુમની ટીમ દ્વારા પોલિસ પ્રોટેક્શન હેઠળ ખાનપર ગામે દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામા આવી હતી. જે કાર્યવાહીમા પોપટભાઇ ભલાભાઇ પરમાર દ્વારા જાહેર રસ્તા પર શૌચાલય, ઓધવજીભાઇ બચુભાઇ જાકાસણિયા દ્વારા સિમેન્ટનો ઢારિયો તેમજ દિનેશભાઇ મગનભાઇ જાકાસણિયા દ્વારા પશુદવાખાના વાળી શેરીમા એક રુમ જેટલુ બાંધકામ કરી કરેલ દબાણ દુર કરવા અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તમામ આસામીઓને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ મુજબ આખરી નોટિસો આપવામા આવેલ તેમ છતા દબાણો દુર કરેલ ન હોય આજે જિલ્લા વિકાસ અધિકારીની સુચના અનુસાર દબાણો દુર કરવામા આવ્યા છે






Latest News