હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે નગરપાલિકાની ભેટ આપવા માંગ ઉઠી


SHARE











ટંકારામાં દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી સાથે નગરપાલિકાની ભેટ આપવા માંગ ઉઠી

મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ ઉજવણીને યાદગાર બનાવવા માટે ટંકારા ગ્રામ પંચાયત છે તેને નગરપાલિકા બનાવવાની માંગ ઉઠી છે અને દેશ આખામાં ભવ્ય મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવની ઉજવણી થાય છે ત્યારે ઋષિની જન્મભૂમિને યાદગાર ભેટ આપવા લોકોમાં માંગણી ઉઠી છે

વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી જેમનું જન્મ સ્થાન ટંકારા છે જ્યા મુળ શંકરે પાપા પગલી માંડી દેશ આખામાં વેદ તરફ પાછા ફરોનું સુત્ર આપી અનેક નરબંકાને ભારતની આઝાદી માટે પેરણા આપી જેમણી 200 મી જન્મ જયંતિ જ્ઞાન જયોતી પર્વ તરીકે દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહર્ષિના માદરે વતન ટંકારાને આ અવસરને યાદગાર બનાવવા નગરપાલિકાની વર્ષોની માંગ પુરી કરવામા આવે એવી લોક લાગણી જાગી છે. ત્યારે એડવોકેટ યુવા નેતા સંજય ભાગિયાએ જણાવ્યું હતું કે જો ટંકારા નગરપાલિકા મળે તો સુવિધાઓની સરવાણી વહેતી થઈ વિકાસને વેગ મળશે. તો હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરમા સ્વચ્છતા અને ટ્રાફિક દબાણનો પશ્ર્ન હલ થઈ શકે છે. તો આદોલનકારી ગપી પાટીદારે જણાવ્યું હતું કે આજે યુવાનો માટે રમવા કોઈ મેદાન નથી કે અંગ કસરત માટે કોઈ સ્થાન સુવિધા પરંતુ નગરપાલિકા મલે તો અનેક લાભ થાય. સ્થાનિક અગ્રણી જગદીશ કુબાવતે જણાવ્યું હતું કે નગરપાલિકા મલે તો ફાયર બ્રિગેડના સાધનો સિટી બસબગિચાબાળ કિંડાગણ સહિતની સવલત મળે ત્યારે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ગુરૂ ભુમી ટંકારાને યાદગાર ભેટ આપે એવી લોક લાગણી છે.






Latest News