મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ ઘટનાના આરોપીને સજા-દિવંગતોને મોક્ષ મળે તેવી સહુએ કથાના છેલ્લા દિવસે ભગવાનને કરી પ્રાર્થના


SHARE











મોરબી ઝૂલતા પુલ ઘટનાના આરોપીને સજા-દિવંગતોને મોક્ષ મળે તેવી સહુએ કથાના છેલ્લા દિવસે ભગવાનને કરી પ્રાર્થના

મોરબીમાં એ વર્ષ પહેલા ઝૂલતો પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જે કથાની આજે પૂર્ણાહુતિ સમયે દિવંગત આત્માઓના મોક્ષર્થે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારજન ગુમાવનારા લોકો પણ હાજર રહ્યા હતા અને ત્યારે પણ તેઓએ આરોપીને આકરી સજા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતા પૂલ પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથાનું આયોજન મોરબીના સમાજ સેવક જગદીશભાઈ બાંભણીયારાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને કોઇની પાસે હાથ લાંબો કર્યા વગર કથા યોજવામાં આવી હતી તા ૨૪ થી શરૂ કરવામાં આવેલ આ કથાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે કથા મંડપમાં દિવંગત આત્માઓના પરિવારજનો સહિતના લોકોની હાજરીમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી માતાજી તેમજ કથાકાર રત્નેશ્વરીદેવી સહિતના લોકો જોડાયા હતા અને દિવંગત આત્માઓના મોક્ષર્થે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી 

મોરબીની આનબાન અને શાન સમાન કહી શકાય તેવો ઐતિહાસિક ઝુલતો પુલ કે જેની માલિકી મોરબી નગરપાલિકાની હતી અને તેનું સંચાલન ઓરેવા ગ્રુપને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપી દીધું હતું અને ત્યારબાદ પુલના રીપેરીંગ કામ માટે આ પુલને છ મહિના સુધી ઓરેવા ગ્રુપે બંધ કર્યો હતો ત્યાર પછી ગત વર્ષે નવા વર્ષના પહેલા દિવસથી ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો. જેથી કુલ મળીને ૧૩૫ લોકોના મોત થયેલ છે જેમાં ૫૦ જેટલા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે તમામને મોક્ષ મળે અને આરોપીને આકરી સજા મળે તેના માટે કથામાં આવેલા લોકોએ ભગવાનને પ્રાર્થના કરી હતી






Latest News