રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કોંગ્રેસની માંગ


SHARE











વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ કોંગ્રેસની માંગ

વાંકાનેર તાલુકાના ચોમાસામાં સતત ૨૮ દિવસ સુધી વરસાદ નથી થયો જેથી કરીને ખેડૂતોને હેરાન થવું પડ્યું છે અને કપાસના પાકમાં પણ નુકશાની આવેલ છે તો પણ ખેડૂતોને સરકારી સહાયનો લાભ મળેલ નથી જેથી કરીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો સરકારી સહાય મળે તેના માટે કોંગ્રેસનાં આગેવાનોએ માંગ કરી છે

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડીરેક્ટર શકીલ પીરઝાદા, પ્રદેશ કોંગ્રેસના આગેવાન હરદેવસિંહ ઝાલા, યાર્ડના પ્રમુખ ગુલામભાઈ પરાસરા સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી ત્યારે શકીલ પીરઝાદાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મુખ્યમંત્રી કિશાન સહાય યોજના માટે જે નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ચોમાસામાં ૨૮ દિવસ સુધી સતત વરસાદ ન થયો હોય તો તે યોજનાનો ખેડૂતોને લાભ મળે છે જો કે, ચાલુ વર્ષે ચોસરમાં ૨૮ દિવસમાં વરસાદ પડ્યો ન હતી જે મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની શરત પૂર્ણ કરે છે તો પણ ખેડૂતોને સહાય આપવામાં આવી નથી અને વાંકાનેર યાર્ડ દ્વારા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જવાબ મળ્યો હતો કે, વાંકાનેર તાલુકો મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાં આવે છે તો વરસાદ ન પડવાના કારણે ખેડૂતોને જે નુકશાન થયું છે તેમાં ૩૦ થી ૬૦ ટકા સુધી નુકશાની છે તો સરકાર મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત અથવા તો કોઈ પણ યોજના દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે વધુમાં પ્રદેશ કોંગેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન હરદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કિશાન સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખેડૂતોને ખેતઓજાર લેવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે જેના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે જો કે, ખેડૂતોને એક જ દિવસનો સમય આપવામાં આવે છે જેના લીધે ઘણા ખેડૂતો અરજી પણ કરી શકતા નથી જેથી કરીને ખેડૂતોને હેરાન ન થવું પડે તે માટે ઓછામાં ઓછા ૧૦ દિવસનો સમય આપવામાં આવે તેવી ખેડૂતો વતી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે 






Latest News