ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે વાડીએ સાપ કરડી જતાં વૃદ્ધનું મોત


SHARE





ટંકારાના જબલપુર ગામે વાડીએ સાપ કરડી જતાં વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વૃદ્ધને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હોવાથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વસંતભાઈ મોહનભાઈ ફેફર (૭૦) સીમમાં હતા ત્યારે પોતાની વાડીએ ખેતી કામ કરતા હતા દરમિયાન સાપ કરડી ગયો હતો જેથી કરીને તેઓને પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેઓને સારવાર માટે મોરબી રીફર કરતા રસ્તામાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવની ટંકારાની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આઈ.ટી. જામ દ્વારા કરવામાં આવેલ છે

ફીનાઇલ પી જતા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર સેંટમેરી સ્કુલ નજીક આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતી મહિલા કોઈ કારણોસર ફિનાઈલ પી જતા તેણીમે સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા શીતલબેન પૃથ્વીભાઈ જોશી નામની ૨૧ વર્ષીય મહિલા કોઈ કારણસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા હાલ આ બાબતે પોલીસ દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે વધુ તપાસ શરૂ કરાઇ છે. જ્યારે ફીનાઇલ પી જવાનો બીજો બનાવ મોરબીની વાવડી ચોકડી નજીક બન્યો હતો જ્યાં અમિતભાઈ નૌતમલાલ વડગામા (ઉમર ૩૫) રહે.ઉમિયાનગર સોસાયટી રવાપર મોરબી નામનો યુવાન અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયો હોય તેને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું એ ડિવિઝન પોલીસસૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.




Latest News