હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે વાડીએ સાપ કરડી જતાં વૃદ્ધનું મોત


SHARE











ટંકારાના જબલપુર ગામે વાડીએ સાપ કરડી જતાં વૃદ્ધનું મોત

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વૃદ્ધને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હોવાથી આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા વસંતભાઈ મોહનભાઈ ફેફર (૭૦) સીમમાં હતા ત્યારે પોતાની વાડીએ ખેતી કામ કરતા હતા દરમિયાન સાપ કરડી ગયો હતો જેથી કરીને તેઓને પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેઓને સારવાર માટે મોરબી રીફર કરતા રસ્તામાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવની ટંકારાની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ આઈ.ટી. જામ દ્વારા કરવામાં આવેલ છે

ફીનાઇલ પી જતા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર સેંટમેરી સ્કુલ નજીક આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતી મહિલા કોઈ કારણોસર ફિનાઈલ પી જતા તેણીમે સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા શીતલબેન પૃથ્વીભાઈ જોશી નામની ૨૧ વર્ષીય મહિલા કોઈ કારણસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા હાલ આ બાબતે પોલીસ દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે વધુ તપાસ શરૂ કરાઇ છે. જ્યારે ફીનાઇલ પી જવાનો બીજો બનાવ મોરબીની વાવડી ચોકડી નજીક બન્યો હતો જ્યાં અમિતભાઈ નૌતમલાલ વડગામા (ઉમર ૩૫) રહે.ઉમિયાનગર સોસાયટી રવાપર મોરબી નામનો યુવાન અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયો હોય તેને અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું એ ડિવિઝન પોલીસસૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.






Latest News