હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની હરતી ફરતી જીવતી-જાગતી શાળા: જીવતીબહેન પીપલીયા


SHARE











ટંકારા તાલુકાની હરતી ફરતી જીવતી-જાગતી શાળા: જીવતીબહેન પીપલીયા

૫ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ’. એક મહાન શિક્ષક, ફિલોસોફર અને ભારત રત્ન પ્રાપ્તકર્તા, સ્વતંત્ર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસરે દર વર્ષે ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજના આ શુભ અવસર પર આપણે વાત કરવી છે હરતી ફરતી શાળા એટલે જીવતીબહેન પીપલીયા’.

સંસ્કાર, શિક્ષણ, સાહિત્ય, સ્વાધ્યાય સંસ્કૃતિનો સંગમ એટલે જીવતીબહેન પીપલીયા. લખધીરગઢ પ્રા.શાળામાં એક થી પાંચ ધોરણમાં અભ્યાસ કરાવતા જીવતીબહેન જેમ એક બહેન વહાલથી અને માતા મમતાથી પોતાના બાળકનો ઉછેર કરે છે તેમ તે બાળકોને લગનથી ભણાવી તેના બાળમાનસનો ઉછેર કરે છે. બાળકો સાથે રહીને તે બાળકની આંખની ભાષા વાંચી બાળકને શું ગમે છે અને શું નહિ તે પારખી બાળકો સાથે અંતર-મનથી જોડાઈને એમના જીવનનું ઘડતર કરે છે. તેઓ એમ.એ., એમ. ઍડ હોવા છતાં વિદ્વત્તાનો ભાર ખંખેરી બાળ સહજ નિર્દોષતાથી કામ કરે છે. ૨૦૧૪ થી આજ સુધી તેમના હાથ નીચેથી ભણેલા વિદ્યાર્થીઓમાંથી ૯ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં અને ૧ વિદ્યાર્થી બાલાચડી સૈનિક સ્કૂલમાં સિલેક્ટ થયેલ છે.

NMMS, સ્કોલરશીપ પરીક્ષા, જ્ઞાન સાધના કસોટી, કલા મહાકુંભ, લોક વિજ્ઞાન કેન્દ્ર, સાહિત્ય સેતુ, કે પછી અન્ય વિભાગોમાં યોજાતી સ્પર્ધાઓ, વકતૃત્વ હોય કે સાહિત્ય સર્જન હંમેશાં તેઓ, તેમનાં વિદ્યાર્થીઓ અને એમની શાળા અવ્વલ રહે છે. જગતથી અલગ વિચારસરણી ધરાવનાર જીવતી બહેને કોરોનાકાળ ને અવસર બનાવી મોકો ઝડપી લીધો હતો. આ સમયમાં તેઓએ પ્રથમ કોરોના કવિતા 'જગદીશને વિશ' લખી હતી. જેમાં કોરોના જલ્દીથી ચાલ્યો જાય અને શાળા ફરીથી બાળ કલશોરથી ગુંજતી થઈ જાય એવો ભાવ રહેલો હતો. આ કવિતા નમસ્કાર ગુજરાતમાં પ્રકાશિત થઈ હતી. જીવતી બહેને કોરાના કાળમાં અનોખો પ્રવેશોત્સવ ઉજવ્યો હતો. જેમાં તેઓ ઘરે ઘરે ફરીને બાળકોને કુમકુમ તિલક કરી, તુલસીનાં રોપા આપી, બાળકોને હૃદયથી સ્વીકારી, શાળામાં પ્રવેશ આપ્યો હતો. શાળામાં ભૌતિક સુવિધા ઊભી કરવામાં પણ તેમનો સિંહ ફાળો રહેલો છે. સાથોસાથ આર્થિક પછાત વર્ગના બાળકોને શિક્ષણમાં સહાયક બની બાળકોને પ્રેમ અને હૂંફથી શાળામાં આવકારી, તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અનેકવિધ પ્રયાસ કરી રહ્યાં છે.

જીવતીબહેનને  સી.આર.સી કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ, જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ બી.એલ.ઓ. એવોર્ડ, નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, સાહિત્ય પરિષદ અને કણબીની કલમે દ્વારા સન્માનપત્ર, શાળાનાં પ્રતિભાશાળી શિક્ષક સન્માન, સ્ટોરી મિરર તરsaફથી ઓથર ઓફ ધ યર એવોર્ડ તેમજ સમગ્ર ગામ તરફથી  શાલ અને શિલ્ડ મળેલા છે. ઉપરાંત ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળનાર છે. જીવતીબહેન એ બાળગીત કાવ્યસંગ્રહ પરીબાઈની પાંખે' (૨૦૨૨) અને 'હાથીદાદાની જય હો' તેમજ બાળવાર્તા સંગ્રહ (૨૦૨૩) નટખટ (કૃષ્ણ ચરિત્ર) (૨૦૨૩)ની રચના કરી છે. જેમાં પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત થયેલ 'પરીબાઈની પાંખે' અને 'હાથી દાદાની જય હો!' બન્ને પુસ્તકને સાહિત્ય અકાદમી દ્વારા આર્થિક સહાય મળી પણ મળી હતી.






Latest News