મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત


SHARE







મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે તા.૩૧-૮ ના રોજ મારામારીનો બનાવ બન્યો હતો અને કુટુંબિક સગાઓ વચ્ચે થયેલ મારામારી દરમિયાન પગના ભાગે થયેલ ઇજામાં સારવાર માટે મોરબી ખસેડાયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય હાલ વૃદ્ધાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને જૂની અદાવતમાં ઝઘડો ચાલતો હતો અને દરમિયાનમાં કાર લેવામાં આવી હોય તારી કાર તોડી નાખવી છે તેવી બાબતે જે તે સમયે ઝઘડો થયો હતો.તેમ પોલીસ સૂત્રોમાંથી પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

હળવદના રણછોડગઢ ગામે રહેતા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા (ઉમર ૬૦) નામના વૃદ્ધાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયાએ કરી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હતી.

દરમિયાનમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા નામના ૬૦ વર્ષીય રણછોડગઢ ગામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોય મોતનું ખરું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. મારામારીનો બનાવ હત્યામાં પલ્ટાયો હોય તેવી આ ઘટનામાં વૃદ્ધાનું મોત મારામારીની ઈજાઓમાં થયું છે કે અન્ય કોઈ બાબત છે..? તે દિશામાં ખરી હકીકત મેળવવા માટે મૃતકનું પોલીસ દ્રારા રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે. હાલ આ બાબતે હળવદ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.






Latest News