મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત


SHARE











મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે તા.૩૧-૮ ના રોજ મારામારીનો બનાવ બન્યો હતો અને કુટુંબિક સગાઓ વચ્ચે થયેલ મારામારી દરમિયાન પગના ભાગે થયેલ ઇજામાં સારવાર માટે મોરબી ખસેડાયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય હાલ વૃદ્ધાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને જૂની અદાવતમાં ઝઘડો ચાલતો હતો અને દરમિયાનમાં કાર લેવામાં આવી હોય તારી કાર તોડી નાખવી છે તેવી બાબતે જે તે સમયે ઝઘડો થયો હતો.તેમ પોલીસ સૂત્રોમાંથી પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

હળવદના રણછોડગઢ ગામે રહેતા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા (ઉમર ૬૦) નામના વૃદ્ધાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયાએ કરી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હતી.

દરમિયાનમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા નામના ૬૦ વર્ષીય રણછોડગઢ ગામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોય મોતનું ખરું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. મારામારીનો બનાવ હત્યામાં પલ્ટાયો હોય તેવી આ ઘટનામાં વૃદ્ધાનું મોત મારામારીની ઈજાઓમાં થયું છે કે અન્ય કોઈ બાબત છે..? તે દિશામાં ખરી હકીકત મેળવવા માટે મૃતકનું પોલીસ દ્રારા રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે. હાલ આ બાબતે હળવદ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.






Latest News