હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા સહિતના ગામોને મચ્છુ -૧ ડેમમાથી સિંચાઈનુ પાણી આપવાની ધારાસભ્યને રજૂઆત


SHARE











ટંકારાના હડમતિયા સહિતના ગામોને મચ્છુ -૧ ડેમમાથી સિંચાઈનુ પાણી આપવાની ધારાસભ્યને રજૂઆત

ટંકારા તાલુકાના સેક્શન-૨ માં આવતા ગામડાઓ જેવા કે હડમતિયા, લજાઈ, ઘુનડા, સજનપર, કોઠારીયા જેવા અનેક ગામોને સિંચાઈ નું  મચ્છુ -૧ ડેમની નહેર વાટે પાણી આપવા અમારી માંગણી છે. આ પહેલાની અમારી જુની માંગણી એ છે કે સેક્શન-૨ સુધી  ૬ કિલોમીટર પાઈપ લાઈન નાખીને નીચેના ગામોને પાણી પહોંચાડવામાં આવે  અનેક ગામના ખેડુતોના પાક મુરઝાઈ રહ્યા છે ત્યારે મોરબી સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઈજનેર શ્રી ભોરણીયા સાહેબને તેમજ ટંકારા - પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને આવેદનપત્ર આપી વહેલી તકે પાણી છોડવા માટે વિનંતી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ ખેચાયો છે જેથી કરીને ખેડુતોનો પાક ઉપર સંકટ ઊભું થયું છે ત્યારે મચ્છુ -૧ ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવામાં આવે તેવી ટંકારા તાલુકાના ખેડૂતોએ મોરબી સિંચાઈ વિભાગ કચેરી તેમજ ટંકારા - પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાને આવેદનપત્ર આપી વહેલી તકે પાણી છોડવા રજૂઆત કરી છે. ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી કરીને વહેલી તકે મચ્છુ-૧ ડેમની કેનાલ સાફ સફાઈ કરી સિંચાઇ માટેનું પાણી છોડાવવામાં આવે તેવી માંગ કરેલ છે ત્યારે આ પ્રસંગે લજાઈ ગામના આગેવાન બળવંતભાઈ કોટડીયા, સજનપરના કેશવજીભાઈ રૈયાણી, હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયા, મગનભાઈ કામરીયા, ભીખાભાઈ ડાકા, પ્રવિણભાઈ ડાકા, ગ્રામપંચાયત સદસ્ય અશોકભાઈ સગર, જગદીશભાઈ સિણોજીયા તેમજ ધુનડાના ઘનુભા હાજર રહ્યા હતા






Latest News