વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતીનો કાર્યક્રમ યોજાયો

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં ચાલતા એનએસએસ યુનિટ દ્વારા ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ 'ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતી' સંદર્ભનો કાર્યક્રમ યોજાયેલ હતો ભારતમાં અકસ્માતોનું પ્રમાણ અને તેને લીધે મૃત્યુનું વધતું પ્રમાણએ બહુ ચિંતાનો વિષય બની રહેલ છે. પરિણામે માનવ સંસાધનને મોટું નુકસાન ભોગવવું પડે છે. આ મુદ્દો જ્યારે સમગ્ર રાષ્ટ્ર માટે ચિંતાનો છે ત્યારે આ સંદર્ભની જાગૃતિ સમાજમાં પ્રસરે તે અનિવાર્ય છે. આ બાબતની અગત્યતાને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે મોરબી આરટીઓના મોટર વાહન નિરીક્ષક આર.એ. જાડેજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલ હતા તેઓએ ખાસ કરીને યુવા વર્ગને સંબોધીને ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતી સંદર્ભે તર્કબદ્ધ મુદ્દાઓ અકસ્માત નિવારણના સંદર્ભમાં રજૂ કર્યા હતા સામાન્ય પ્રકારની અવેરનેસના પરિણામો કેટલાયે અકસ્માતોને ટાળી શકાય છે અને માનવ સંસાધનને નુકસાન થતું અટકાવી શકાય છે તે સદ્રષ્ટાંત તેમણે સમજાવેલ. ટેકનિકલી તૈયાર કરેલી પીપીટી બતાવીને તેમણે પોતાનું વક્તવ્ય આપેલ હતું આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ કે.આર. દંગી, સ્ટાફ, એનએસએસ સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ અને વિષય સંદર્ભે ગંભીર બનેલ છે આ કાર્યક્રમનું આયોજન એનએસએસ યુનિટ વતી પ્રોગ્રામ ઓફિસર ડો. આર.કે. વારોતરીયાએ કરેલ હતું






Latest News