મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત


SHARE











મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કામ કરતા પરિવારના મહિલા કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નિપજત્તા તેમના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતેથી તબીબ દ્વારા યાદી આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા ચકુબેન રામાભાઇ ભીલ નામની ૩૦ વર્ષીય મહિલા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નીપજત્તા તેમના ડેડબોડીને અહીં પીએમ માટે લાવવામાં આવેલ છે હાલ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના જ ઇસનપુર ગામના રૂમાલસિંહ વાંગલાલસિંહ બામણીયા નામનો ૪૦ વર્ષનો યુવાનો કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડો.પી.એન.આસરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથકનો હોય ત્યાં આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરાયેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી વિસ્તારમાં રહેતા સંતોષભાઈ વીરબહાદુરભાઇ નેપાળી નામના ૪૮ વર્ષના યુવાનને ઉમા રેસીડેન્સી નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.હરેશભાઈ ચાવડા આ દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News