મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોરપોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત


SHARE







મોરબીમાં કપાસમાં છાંટવાની દવા પી જતા મહિલાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કામ કરતા પરિવારના મહિલા કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નિપજત્તા તેમના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસમાં જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતેથી તબીબ દ્વારા યાદી આવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા ચકુબેન રામાભાઇ ભીલ નામની ૩૦ વર્ષીય મહિલા કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેઓનું મોત નીપજત્તા તેમના ડેડબોડીને અહીં પીએમ માટે લાવવામાં આવેલ છે હાલ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના જ ઇસનપુર ગામના રૂમાલસિંહ વાંગલાલસિંહ બામણીયા નામનો ૪૦ વર્ષનો યુવાનો કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડો.પી.એન.આસરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથકનો હોય ત્યાં આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરાયેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી વિસ્તારમાં રહેતા સંતોષભાઈ વીરબહાદુરભાઇ નેપાળી નામના ૪૮ વર્ષના યુવાનને ઉમા રેસીડેન્સી નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.હરેશભાઈ ચાવડા આ દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News