મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું


SHARE











હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા શાખા નહેર હળવદ, ટીકર અને જૂના ઘાટીલા થઈને માળીયા સુધી પહોંચે છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ કેનાલ ઉપરનું પુલિયું જર્જરિત થઈ ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા હોવાથી તેના ઉપરથી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને લોકોને તેના વાહન કેનાલની ડાબી તેમજ જમણી બાજુએ ૬૦૦ મીટર જેટલા અંતરે આવેલ બીજા પુલિયા ઉપરથી પસાર કરવા માટે થઈને જવાબદાર અધિકારી દ્વારા નોટિસ મારફતે જાણ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ટીકર ગામની બાજુમાંથી પસાર થતી નદીમાંથી રેતી ચોરી કરવા માટે રાત દિવસ રેતી ભરેલા ડમ્પરો દોડતા હોય છે અને તેના કારણે આ પુલિયું જર્જરીત થઈ ગયેલ છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પુલિયા ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે તેના ઉપરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે અને સ્થાનિક ગામના સરપંચ તેમજ આગેવાનોને આ અંગેની જાણ પણ કરવામાં આવી છે અને આ પુલિયા ઉપરની પારાપેટ તૂટેલી હાલતમાં છે અને પુલિયું પણ જર્જરીત હોવાથી અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ હોવાથી તેને બંધ કરવામાં આવ્યું છે






Latest News