વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











મોરબીના રામગઢ (કો) ગામે મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી તાલુકાના રામગઢ (કો) ગામે રામનાથ મહાદેવ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા ૧૮ અને ૧૯ ના આ તમામ કાર્યક્રમ યોજાશે

સમસ્ત રામગઢ ગામ તથા યુવક મંડળ દ્વારા રામનાથ મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૮ અને ૧૯ ના રોજ જુદાજુદા કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં તા ૧૮ ના રોજ સવારે ૭:૩૦ કલાકે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન, જલયાત્રા, પ્રસાદ વાસ્તુ, ગૃહ શાંતિ, આરતી અને નગર શોભાયાત્રા તેમજ રાત્રે ૯ કલાકે ધૂન-ભજનનું આયોજન કરેલ છે તો તા ૧૯ ના રોજ સવારે સ્થાપિતદેવ પૂજા, કૂટીર હોમ, સ્થાપન વિધિ, પ્રતિષ્ઠા મહાઆરતી, શાંતિ પુષ્ટિક હોમ, ફળ ફળાદી હોમ અને સાંજે ૪:૩૦ કલાકે બીડું હોમશે ત્યાર બાદ મહાઆરતી કરશે આ ધાર્મિક કાર્યક્રમ અને મહાપ્રસાદનો લાભ લેવા ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News