મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પી.જી. પટેલ કોલેજ, વિહિપ, બજરંગદળ, દુર્ગાવાગિની સહિતની સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય પર્વ ઉજવાયો


SHARE











મોરબીમાં પી.જી. પટેલ કોલેજ, વિહિપ, બજરંગદળ, દુર્ગાવાગિની સહિતની સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય પર્વ ઉજવાયો

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ તથા માતૃ શકિત, દુર્ગાવાગિની તથા સામાજિક સમરસતાના તમામ આયામો દ્વારા સ્વતંત્રતા દિવસ નિમીતે રાષ્ટ્રધવજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ભારત દેશના સશકત લશ્કર દળના નિવૃત અધિકારી દિનેશભાઈ બારૈયા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમા રાષ્ટ્રીય સ્વયંસંવક સંઘના રાજકોટ વિભાગના સહ કાર્યવાહ  તથા શિવાય ઇન્ટરનેશનલ  ન્યૂ બસ સ્ટેન્ડ શોપિંગ પરિવાર પણ હાજર રહ્યા હતા. વિશ્વ હિંદુ પરિષદ  મોરબી જિલ્લા  અને મોરબી પ્રખંડ દ્વારા નવા બસસટેનડની પાસે સરદાર પટેલની પ્રતિમા સામે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

પી.જી. પટેલ કોલેજ

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશભક્તિની થીમ ઉપર ક્લાસરૂમ ડેકોરેશનની સ્પર્ધા મોરબીની પી.જી. પટેલ કોલેજમાં યોજાઈ હતી તેમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમ અંતર્ગત દરેક ક્લાસરૂમમાં અલગ અલગ થીમ પર પોતાના વર્ગખંડનું વિદ્યાર્થીઓએ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ડ્રોઈંગ અને પેઇન્ટિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આચાર્ય અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

કન્યા વિદ્યાલય

મોરબીમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો હતો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના વિકસે તેમજ વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ધ્વજનુ મહત્વ સમજે એ હેતુથી શાળાના આચાર્ય પારૂલબેન હીરપરા તથા શિક્ષક મહેન્દ્રભાઈ કચોટ તેમજ સ્ટાફ દ્રારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

હડમતિયામાં નિવૃત ફોજીનું કરાયું સન્માન

ટંકારા તાલુકાના હડમતિયા ગામના રહીશ સુલેમાનભાઈ સુમારભાઈ હાલા (૯૬) નું પેંડા ખવડાવી સાથે હાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. આ નિવૃત ફોજીના એકના એક પુત્ર કાસમભાઈ ખેતીકામ કરે છે અને અને તેઓ વર્ષ ૧૯૬૫ અને ૧૯૭૧ માં પાકિસ્તાન પંજાબ બોર્ડર ઉપર હતા ત્યારે એલ.એમ.જી. ગન મશીનથી લડાઈ લડી હતી. તેમના પુત્ર કાસમભાઈ પણ જન્માષ્ટમીના દિવસે ભગવાનના રથના સારથી બની રથ ચલાવે છે. ત્યારે સ્વતંત્રતા પર્વના દિવસે ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા, નિલેશભાઈ પટણી, ભાવિન સેજપાલ, હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયાએ તેમનું સન્માન કર્યું હતું






Latest News