મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત: ઓળખ મેળવવા તજવીજ


SHARE







વાંકાનેરમાં અજાણ્યા પુરુષનું કોઈ કારણોસર મોત: ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેરમાં આવેલ મુમના શેરી પાસે કોઈ અજાણ્યો પુરુષ મૃત્યુ પામેલી હાલતમાં હતો જેથી તેની જાણ સ્થાનિક વ્યક્તિ દ્વારા વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવી હતી ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મુમના શેરી પાસે કોઈ અજાણ્યો ૪૦ વર્ષનો પુરુષ કોઈ પણ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં પડેલ હોય મુમના શેરીમાં રહેતા જવીદભાઈ ઉમરભાઈ વિસર જાતે સંધિ (૪૦)એ આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત હાલતમાં પડેલ યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અંદાજે ૪૦ વર્ષની ઉંમરનો યુવાન મૃત્યુ પામ્યો હોય તે અંગેની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે

મહિલાનું મોત

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં ઉમેશભાઈ ખીમજીભાઇ ચારોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કીડીયાભાઈ ઉર્ફે કાળુભાઈ મેડા જાતે આદિવાસીના પત્ની ગીતાબેન મેડા જાતે આદિવાસી (૫૦) વાડીએ હતા ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News