મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક તાવની બીમારીમાં યુવતીનું મોત


SHARE







વાંકાનેરના માટેલ નજીક તાવની બીમારીમાં યુવતીનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ રોડ ઉપર વીરપર ગામની સીમ વિસ્તારમાં આવેલ એડોરેશન સીરામીકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની યુવતીને સામાન્ય બીમારી અને તાવની તકલીફ હોવાથી ત્યાં સારવાર લીધી હતી જોકે તેનું મોત નીપજત્તા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલએ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ રોડ ઉપર વીરપર ગામની સીમમાં એડોરેશન સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના વતની આદિવાસી મજૂર પરિવારની સપનાબેન ઉર્ફે અનિતાબેન રામેશ્વરભાઇ મકવાણા નામની ૧૬ વર્ષીય સગીરાને સામાન્ય બીમારી અને તાવની તકલીફ હતી.દરમિયાનમાં તેણીનું કોઈ કારણોસર મોત નીપજયુ હોવાથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના વિસેરા લઈને પોલીસ દ્વારા આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બાઈક સાથે બાઈક અથડાતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીક રહેતો મુકેશભાઈ આંબાભાઈ પટેલ નામનો ૩૪ વર્ષીય યુવાન પોતાનું બાઈક લઈને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીકથી નીકળ્યો હતો ત્યારે ત્યાં આવેલા ઓવર બ્રિજ નજીક તેનું બાઈક અન્ય બાઇક સાથે અથડાયું હતું જેથી તેને ઇજાઓ થતા અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ હોવાથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરાય છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ખારચીયા ગામે આવેલ વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો સંજય પર્વતરામસિંગ નાયકડા નામનો ૧૯ વર્ષનો યુવાન પોતાના પિતાની સાથે વાહનમાં જતો હતો ત્યારે ત્યાં ખારચીયા ગામ નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સંજય નાયકડાને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હોય તાલુકા પોલીસમાં જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News