તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો: વાંકાનેર-ટંકારામાં એક વર્ષ સુધી પાણીનું સંકટ ટળ્યું


SHARE











મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો: વાંકાનેર-ટંકારામાં એક વર્ષ સુધી પાણીનું સંકટ ટળ્યું

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી ડેમમાં પાણીની આવક થવા લાગી છે જેથી કરીને ડેમમાં આજની તારીખે પણ ૧૯૯૧ કયુંસેક પાણીની આવક ચાલુ છે અને હાલમાં સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળી રહેલી માહિતી મુજબ મહાકાય મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે જેથી કરીને બે તાલુકાનાં ૨૪ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં કુલ મળીને ૧૦ ડેમ આવે છે જેમાં સૌથી મહાકાય મહાકાય મચ્છુ-૧ ડેમમાં પાણી ભરાતા મોરબીવાંકાનેર અને ટંકારા તાલુકાનાં લોકોને પાણી માટેની ચિંતા દૂર થઈ જાય છે ત્યારે હાલમાં મોરબી મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરની બાજુએ સારો વરસાદ છે જેથી કરીને ડેમમાં હવે પાણીની આવક થવા લાગી છે જેથી કરીને આ ડેમની નીચે આવતા ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે

મોરબી તાલુકાનાં ૪  અને વાંકાનેર તાલુકાનાં ૨૦ ગામોને સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા એલર્ટ કરાયા હતા અને કોઈને પણ મચ્છુ નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે હાલમાં ડેમના ઉપર વાસમા વરસાદના લીધે ડેમમાં પાણીની આવક ૧૯૯૧ કયુસેક ચાલુ છે અને ૪૯ ફૂટની ઊંચાઈ ધરાવતો આ મહાકાય મચ્છુ-૧ ડેમ આજે વહેલી સવારે ૨૪૩૫ એમસીએફટી જળ જથ્થો ભરાઈ જતાં હાલમાં ઓવરફ્લો થઈ ગયેલ છે તેવું અધિકારી જણાવ્યુ છે અને હવે મચ્છુ-૧ માંથી ઓવરફ્લો થતું પાણી મચ્છુ નદી મારફતે મચ્છુ-૨ ડેમમાં આવશે જેથી કરીને મચ્છુ-૨ ડેમ પણ ઝડપથી ઓવરફ્લો થશે તેવું લાગુ રહયું છે

અત્રે ઉલેખનીય છે કે, મહાકાય મચ્છુ-૧ ડેમ આખો ભરાઈ ગયો છે જેથી કરીને આગામી એક વર્ષ માટે વાંકાનેર શહેર અને તાલુકામાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે અને વાંકાનેર તેમજ ટંકારા તાલુકામાં ખેડૂતોને સિંચાઇ માટે આ ડેમમાંથી પાણી આપવામાં આવે છે ત્યારે આ ડેમ છલોછલ ભરાઈ ગયો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કોઈને પણ હવે મચ્છુ-૧ ડેમ હેઠળના વિસ્તારમાં મચ્છુ નદીના પટમાં ન જવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે






Latest News