મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ


SHARE











વાંકાનેરના પંચાસિયામાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં ધારાસભ્યની આરોગ્યમંત્રીને ભલામણ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વાંકાનેરના ધારાસભ્ય દ્વારા આરોગ્ય મંત્રીને આ બાબતે લેખિત ભલામણ કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયા દ્વારા પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવા માટે થઈને હાલમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રજૂઆત કરવામાં આવી હતી જેથી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને લેખિત ભલામણ કરતો પત્ર લખેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૧ ની વસ્તીને ધ્યાનમાં રાખીને અગાઉ જ્યારે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પંચાસિયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું ન હતું જોકે, હાલની વસ્તીને ધ્યાનમાં રાખીને પંચાસીયા ગામ અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યની સુખાકારી માટે પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે તે પ્રકારની ભલામણ હાલમાં વાંકાનેરના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ છે ત્યારે વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લા પંચાયતના સભ્ય જાહીરઅબ્બાસ યુસુફભાઈ સેરશિયાએ જણાવ્યું હતું કે, પંચાસીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થઈ જાય તો પંચાસીયા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકોને આરોગ્યની સુખાકારી માટે વાંકાનેર સુધીના ધક્કા થશે નહીં જેથી વહેલી તકે આરોગ્ય કેન્દ્ર મંજુર થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News