ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના નગરજનોને બાકી વેરો પાલિકામાં જમા કરાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ


SHARE







મોરબીના નગરજનોને બાકી વેરો પાલિકામાં જમા કરાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ

મોરબી પાલિકાની તિજોરી હાલમાં તળિયા જાટ્ક થઈ ગયેલ છે ત્યારે કર્મચારીઓના પગાર માટે પણ પૈસા નહીં રહ્યા જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયામિલકત ધારકોને તેના ટેક્સના બાકી રૂપિયા પાલિકામાં ભરવા માટે અપીલ કરેલ છે અને આગામી ૧૦ માહિનામાં કરોડો રૂપિયાના કામ મોરબીના જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવશે તેવી ખાતરી આપેલ છે

મોરબી પાલિકામાં હાલમાં જુદી જુદી સમસ્યાઓ જુદાજુદા વિસ્તારમાંથી આવે છે ત્યારે લોકોની ગટર, કચરા કલેક્શન, પાણી, લાઈટની સમસ્યાના ઉકેલ માટે પાલિકાના જવાબદાર વિભાગના ચાર કર્મચારીઓના મોબાઈલ નંબરોને પાલિકાના વહીવટદાર દ્વારા હેલ્પ લાઇન નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે અને પાલિકામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વહીવટીદાર એન.કે. મુછારે અને ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી જેમાં ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ કહ્યું હતું કે, ગટરમાં અમુક લોકો કચરો નાખતા હોય છે જેના લીધે ગટરના પ્રશ્ન જુદાજુદા વિસ્તારમાં સામે આવે છે તેવું જણાવ્યુ હતું તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મોરબી પાલિકામાં સ્વભંડોળ છે જ નહીં અને હાલમાં ૭ લાખના ભંડોળ સામે ૬૦ લાખનો પગાર આપવાનો છે તેમજ લાઈટ-પાણીના બિલ આપવાના છે જેથી મિલકત ધારકો દ્વારા તેના બાકી વેરા ભરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી ૧૦ માં માહિનામાં સરકારની જુદીજુદી ગ્રાંટમાંથી કરોડો રૂપિયાના કામ મોરબીના જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવશે તેના માટેના પ્લાન એસટીમેટમ પણ બનાવવામાં આવી રહ્યા છે 






Latest News