મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ 


SHARE











મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ 

મોરબીના ભડીયાદ નજીકના સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ રાજકોટના કુવાડવાના રહેવાસી પરિવારની બે સગીર વયની દીકરીઓનું અપહરણ થયું હતું જેની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે રાજકોટમાં રહેતા મુસ્લિમ યુવાન વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ રાજકોટના કુવાડવાના રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટના જ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિરની સામે આવેલ વછરાજનગર વિસ્તારમાં રહેતા અને હાલ છેલ્લા ચારેક મહિનાથી મોરબીના સામાકાંઠે ભળિયાદ રોડ ઉપર આવેલા સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરવયની દીકરીઓના અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેની બે દીકરી જેમાં મોટી ૧૫ વર્ષની અને નાની ૮ વર્ષની દીકરીનનું અપહરણ કરવામાં આવ્યું છે જેની પરિવારજનોએ શોધખોળ કરી હતી તો પણ પત્તો લાગ્યો ન હતો જેથી કરીને પોલીસે સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને રાજકોટમાં રહેતા રજાક નામના શખ્સે બંને સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ હતી જેથી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે નોંધાયેલ બે સગીરાઓના અપરણના ગુનામાં સંડોવાયેલા આરોપી રજાક ઈશાભાઈ મુસાણી જાતે મિંયાણા (૧૯) હાલ રહે. વછરાજનગર રણુજા મંદિરની પાસે કોઠારીયા મેઇન રોડ રાજકોટ મૂળ રહે. રેલ્વે ફાટક પાસે માળિયા મિંયાણા જિલ્લો મોરબી વાળાની તા.૧૭ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળા દ્વારા ધરપકડ કરવામાં આવી છે






Latest News