મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી


SHARE







માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી

મોરબી એબીવીપી શાખા દ્વારા વિધાર્થીઓને માળિયા-દેરાળા રૂટની બસને લઈને સમસ્યા છે તેનું સમાધાન કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે અને વિધાર્થીઓને જે હાલાકી પડી રહી છે તેને દૂર કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી એબીવીપી દ્વારા માળિયા-દેરાળા રૂટ પરની બસ એક જ આવે છે અને જ્યારે બસની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિધાર્થીઓને હેરાન થવું પડે છે જેથી કરીને વિદ્યાર્થીઓએ હેરાન થતાં હોવાથી વિધાર્થી દ્રારા અનેક વખત એસટી વિભાગમા મૌખિક રજુઆત કરવામાં આવી છે તો પણ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળીને વિદ્યાર્થીઓના હિત માટે બસ વધારી નથી ત્યારે મોરબી એબીવીપી દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપીને બસ વધારવા માટેની ઉગ્ર રજુઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં વિધાર્થીઑની સમસ્યા ઉકેલવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News