મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું


SHARE











રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું

ગુજરાતમાં રાજ્યસભાના ત્રણ સંસદો માટે ભાજપ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને ફોર્મ ભરવામાં આવ્યા હતા તે ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તે ત્રણ પૈકીના એક મોરબી જિલ્લાના વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના બિનહરીફ સાંસદ બન્યા છે ત્યારે તેઓએ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવતાની સાથે જ તેઓ પ્રથમ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચાયા હતા અને મહાદેવજીનું પૂજન અર્ચન કરીને મહાદેવજીને શીશ ઝુકાવ્યું હતું અને ભવિષ્યમાં સારામાં સારા લોક ઉપયોગી કામ તેમના માધ્યમથી થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના પિતાનું અવસાન થયા બાદ તેમની રાજતિલક વિધિનો પાંચ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે પણ આ કાર્યક્રમની શરૂઆત પ્રથમ દિવસે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કરીને કરવામાં આવી હતી ત્યારબાદ રાજતિલક વિધિ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા અને હાલમાં પણ તેઓ જ્યારે રાજ્યસભાના બિનહરીફ સાંસદ તરીકે જાહેર થઈ ગયા છે ત્યારે સર્વપ્રથમ તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના આશીર્વાદ લીધા હતા ત્યારે તેઓના ધર્મપત્ની પણ ત્યાં તેઓની સાથે હાજર રહ્યા હતા






Latest News