મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું


SHARE







રાજ્યસભામાં બિનહરીફ વિજેતા જાહેર થતાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જડેશ્વર મહાદેવને શીશ ઝુકાવ્યું

ગુજરાતમાં રાજ્યસભાના ત્રણ સંસદો માટે ભાજપ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને ફોર્મ ભરવામાં આવ્યા હતા તે ત્રણેય ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તે ત્રણ પૈકીના એક મોરબી જિલ્લાના વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના બિનહરીફ સાંસદ બન્યા છે ત્યારે તેઓએ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવતાની સાથે જ તેઓ પ્રથમ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચાયા હતા અને મહાદેવજીનું પૂજન અર્ચન કરીને મહાદેવજીને શીશ ઝુકાવ્યું હતું અને ભવિષ્યમાં સારામાં સારા લોક ઉપયોગી કામ તેમના માધ્યમથી થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના પિતાનું અવસાન થયા બાદ તેમની રાજતિલક વિધિનો પાંચ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે પણ આ કાર્યક્રમની શરૂઆત પ્રથમ દિવસે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કરીને કરવામાં આવી હતી ત્યારબાદ રાજતિલક વિધિ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા અને હાલમાં પણ તેઓ જ્યારે રાજ્યસભાના બિનહરીફ સાંસદ તરીકે જાહેર થઈ ગયા છે ત્યારે સર્વપ્રથમ તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના આશીર્વાદ લીધા હતા ત્યારે તેઓના ધર્મપત્ની પણ ત્યાં તેઓની સાથે હાજર રહ્યા હતા






Latest News