મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

રાજ્યસભાની એક બેઠક માલધારી સમાજને આપવા મોરબી માલધારી સમાજના આગેવાનની માંગ


SHARE











રાજ્યસભાની એક બેઠક માલધારી સમાજને આપવા મોરબી માલધારી સમાજના આગેવાનની માંગ

વર્ષોથી ભાજપ સાથે રહેલ માલધારી સમાજ અને તેનાં આગેવાનોએ માલધારી સમાજ માટે રાજ્યસભાની બેઠક ફાળવવા ભાજપ  મોવડી મંડળ પાસે માગણી કરવી જોઇએ તેવી મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે. 

ગુજરાત રાજ્યમાં ખાલી પડેલ રાજ્યસભાની ૩ બેઠક પર ભાજપ પક્ષ એક બેઠક માલધારી સમાજને આપે તેવી રજૂઆત  આગેવાનોએ  સમાજ માટે  કરવી  જોઈએ તેવી લાગણી મોરબીમાં રહેતા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી દ્વારા કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઘણા વરસોથી માલધારી સમાજ ભાજપ પક્ષ સાથે જોડાયેલ છે હર હંમેશ  નાની મોટી ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવારની તરફેણમાં મતદાન કરી વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા  માલધારી સમાજ  દ્વારા બજાવવામાં આવેલ છે ત્યારે ભાજપ મોવડી મંડળ પાસે સમાજના આગેવાનોએ  ખાલી પડેલ ૩ રાજ્યસભાની બેઠકમાંથી એક બેઠક ઉપર માલધારી સમાજ ને ફળવવા માટે માંગણી કરવી જોઈએ અગાઉના સમયમાં કોગ્રેસ પક્ષ દ્વારા માલધારી સમાજને રાજ્ય  સભાની એક બેઠક ફાળવેલ આવેલ હતી અને વર્ષોથી માલધારી સમાજ ભાજપ પક્ષ  સાથે જોડાયેલ છે ત્યારે સમાજ માટે  ભાજપના મોવડી મંડળ પાસે રાજ્ય સભાની  એક બેઠક ફાળવવા માટે  રજૂઆત કરવામાં આવે અને સમાજને ન્યાય અપાવવામાં આવે તેવી માલધારી સમાજની લાગણી અને માંગણી છે અને જો સમાજને રાજ્ય સભાની બેઠક ફાળવવામાં નહિ આવે તો આવનાર લોકસભા ચૂંટણીના સમયે માલધારી સમાજને વિચારવું પડશે માટે માલધારી સમાજને ન્યાય આપવા રાજ્ય સભાની એક  બેઠક આપવાની રજૂઆત ભાજપના મોવડી મંડળને કરવી જોઇએ તેવું રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે.






Latest News